Tuesday, 22 October 2013

જન્મ ક્યા વારે થયો હોય તો તમારું ભાગ્ય કેવું રહેશે અને સ્વભાવ કેવો રહેશે?




વ્યકતિનો જે વારે જન્મ થયો છે તે દિવસનો પ્રભાવ પણ તેની પડે છે. જોતિષ અનુસાર સપ્તાહના સાતવાર સંબંધિત ગ્રહ અલગ-અલગ છે. આથી સાતેય દિવસ જન્મેલા લોકોનો સ્વભાવ પણ અલગ અલગ હોય છે. જાણો તમામારો જન્મ ક્યા વારે થયો હોય તો તમારું ભાગ્ય કેવું રહેશે અને સ્વભાવ કેવો રહેશે….

રવિવાર – જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયેલ છે તે સામાન્ય રીતે ભાગ્યશાળી રહે છે. તેની આયુષ્ય પણ વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
સોમવારઃ – સોમવારના જન્મ લેવનારા વ્યક્તિ હસમુખા અને મીઠું બોલનારા હોય છે. સુખ-દુઃખમાં સમભાવ રાખે છે. વિદ્યાવાન, કલા કુશળ અને બહાદૂર હોય છે. આ લોકો કફ રોગોથી પરેશાન રહેશે. બીમારીઓને કારણે કમજોરી બની રહી છે. આ લોકો માટે 9,12,27, વર્ષની ઉંમરમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. સામાન્ય રીતે તેનું જીવન એશ-ઓ-આરામથી પસાર થાય છે.
મંગળવાર – જે લોકોનો જન્મ મંગળવારના દિવસે છે તે ધની હોય છે. સામાન્ય રીતે આ લોકોનો સ્વભાવ ઉગ્ર હોય છે, આ કારણ એ લોકો પોતાની આસપાસ રહેનારા ઘણા લોકોથી નારાજ રહે છે. તેને બ્લડ અને સ્કીન સંબંધી રોગો રહે છે.
બુધવાર – બુધવારના જન્મ લેનારા લોકો સામાન્ય રીતે ધર્મ-કર્મમાં ધ્યાન લગાવનારા હોય છે. આ બુદ્ધિમાન અને મધુરભાષી હોય છે. વિદ્વાન અને ધાર્મિક જીવન જીવનારા તેનો સ્વાભાવ હોય છે. માતા-પિતાથી વિશેષ પ્રેમ રાખે છે. 8 અને 22 વર્ષના આયુષ્યમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.
ગુરુવાર – જે લોકોનો જન્મ ગુરુવારે થયો છે તે બુદ્ધિમાન હોય છે. પરાક્રમી હોય છે, કોઈ પણ મુશ્કેલ સમયનો સામનો મોટી જવાબદારી અને સમદારી સાથે કરશો. આ લોકોના મિત્ર સારી સંગતી વાળા હોય છે. મિત્રો તરફથી હંમેશા પ્રસન્નતા રહે છે. 7,12,13,16, અને 30 વર્ષની ઉમરે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
શુક્રવાર – શુક્રવારનો દિવસ વ્યક્તિને હસમુખ સ્વભાવ આપે છે આ લોકો બુદ્ધિમાન ને મધુરભાષી હોય છે. સહનશીલતાને કારણે કઠીન સમયનો સામનો પણ સારી રીતેકરી લે છે. એશ્વર્યપૂર્ણ જીવન આ લોકોને ઘણું વધારે પસંદ હોય છે. કલાના ક્ષેત્રમાં આ લોકો ખાસ મુકામ હાસિલ કરે છે. 20 અને 24 વર્ષની ઉંરે તેને કંઈને કંઈ પરેશાનીઓ આવે છે.
શનિવાર – જે લોકોનો જન્મ શનિવારના દિવસે થયો છે તે કૃષી વેપારમાં વિશેષ રૂચી રાખનાર હોય છે. નાની ઉંમરમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે. આ લોકોને મિત્રતામાં સાવધાન રહેવાની જરૂર હોય છે. માતા-પિતા, ભાઈ-બહેનો તરફથી તેને પૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી. આ લોકોને 20, 25 અને 45 વર્ષની ઉંમરે થોડીક પરેશાનિઓનો સામનો કરવો પડે.

No comments:

Post a Comment